મ્યુચ્યુઅલ ફંડમાં એપ્રિલથી નવા નિયમો લાગુ AMFI - SEBI : નાના રોકાણકારોને મોટું નુકસાન થાય નહીં
- 01 Mar, 2024
માર્કેટ રેગ્યુલેટર સેબી મિડકેપ અને સ્મોલકેપમાં જોખમ વધવાનો ખતરો જોઈ રહી છે જેના કારણે સેબીએ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી પાસેથી વધુ ડિસ્ક્લોઝર માંગ્યા છે. AMFI-એસોશીએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઈન્ડિયા અને SEBI સતત વાટાઘાટો કરી રહ્યાછે કારણ કે એસઆઇપી દ્વારા પૈસા સતત આવી રહ્યા રહે છે. નાણાંનો પ્રવાહ મિડકેપ અને સ્મોલકેપ ફંડ્સમાં વધુ જઈ રહ્યો છે. લાર્જ કેપ ફંડ્સમાં રોકાણ ખુબ ઘટી રહ્યું છે જેના કારણે જોખમ નજરે પડી રહ્યું છે. AMFI અને SEBI ઈચ્છે છે કે નાના રોકાણકારોને મોટું નુકસાન ન થાય તે માટે ડિસ્ક્લોઝર નિયમોમાં ફેરફાર કરવા હિતાવહ: છે. આ નિયમો 1 એપ્રિલથી લાગુ કરવા વિચારણા ચાલી રહી છે.
જેમ શેરના મૂલ્યાંકનની વાત થાય છે. એ જ રીતે ફંડના મૂલ્યાંકનની પણ વાત થવી જોઈએ. હવે એવી ચર્ચા છે કે પોર્ટફોલિયોની કુલ કિંમત વિશે માહિતી આપવી જોઈએ. જેમકે વધુ PE ધરાવતા શેરમાં કે ઓછા PFવાળા શેરમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે.
જો કોઈ રોકાણકાર પૈસા ઉપાડે છે તો રોકાણકાર કેટલી ઝડપથી અને કેટલા સમય માટે પૈસા ઉપાડી શકે છે. કારણ કે લાર્જ કેપ શેર વેચવાથી તમને તરત જ પૈસા મળે છે. આ શેર્સમાં વોલ્યુમ ઊંચું રહે છે અને લિક્વિડિટીની કોઈ સમસ્યા નથી. તે જ સમયે સ્મોલ અને મિડકેપ શેરોમાં સમસ્યાનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે ઘણા ફંડ હાઉસ આ જોખમનું મૂલ્યાંકન કરે છે પરંતુ સંપૂર્ણ માહિતી તેમની વેબસાઇટ પર ઉપલબ્ધ હોવી જોઈએ.
આ માટે એડવાઈઝરી પણ ઈશ્યુ કરવામાં આવશે. તેનું ટ્રેકિંગ દૈનિક ધોરણે કરી શકાય છે. આ તમામ પગલાં લેવાથી રોકાણકારને ખ્યાલ આવશે કે ફંડમાંથી કેટલા પૈસા ઉપાડવામાં આવશે.
ફંડની વોલેટિલિટીનો પણ ઉલ્લેખ કરવો પડશે. આનાથી રોકાણકાર જાણશે કે કેટલું જોખમ સામેલ છે.
મિડકેપ અને સ્મોલકેપ ફંડ્સની જેમ બધા મિડકેપ અને સ્મોલકેપ શેરો હોતા નથી તે મિશ્રિત હોય છે. જો કે હજુ પણ આ માહિતી આપવામાં આવી રહી છે પરંતુ હવે તેને યોગ્ય રીતે સમજાવવું જરૂરી બનશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ